કાછિયા પાટીદાર સમાજનો ઈતિહાસ

પટેલ કદાચ ગુજરાતની એક જાગૃત અને અગ્રણી કોમનો પર્યાય છે, પટેલ કે પાટીદારો એ દરેક પ્રાંતને ઓરખવા માટે તેની પ્રજાની લાક્ષણીકતાઓ, તેનો ઉદૂભવ વિકાસ, તેની પ્રજાની લાક્ષણીકતાઓ, તેનો ઉદૂભવ વિકાસ, તેની મહત્વરૂપ કામગીરી, તેનો સ્વભાવ, ઇત્યાદિ જાણવું રસપ્રદ બને છે અને તેમાંયે વિશિષ્ટ જ્ઞાતિઓ, સમુદાયો જે તે ધર્મ પાળતી પ્રજાનો ઈતિહાસ વિશિષ્ટ હોય છે. પાટીદારો કે પટેલો એ ભલે આજે વિવિધ જુથો, જ્ઞાતિવાડાઓમાં વિભક્ત લાગે પરંતુ ગરવા ગુજરાતની તે એક જ્ઞાતિવિશેષ છે. એ માટે તેનો ઇતિહાસ જાણવો એ આપના જ્ઞાતિજનો માટે તો ખાસ રસિક નીવડશે. જે વસ્તુનું નામ પડે છે તેની પાછળ તેનો વિશિષ્ટ ઇતિહાસ કે કોઈ ચોક્કસ સંદર્ભ હોય જ છે. આ નામો કેવી રીતે પડ્યા, શી તેમની વિશેષતાઓ હતી, તેઓ મુળ ક્યાંના હતા. ક્યાંથી-ક્યાં આવ્યા, કેમ છૂટા પડ્યા વગેરે બાબતો આપણે જણવી જોઈએ. આપણે સૌ ગૌરવશાળી સમાજના સંતાનો છીએ,દરેક જ્ઞાતિઓના નામો કોઈને કોઈ પ્રકારની વંશીય ઇતિહાસની ભૂમિકા ધરાવતા હોય છે તેમ આપણા પાટીદારોમાં પણ જે પેટાજ્ઞાતિ નામો છે તેનો રસિક ઇતિહાસ છે.

દરેક સમાજને પોતાની જ્ઞાતિનો ઇતિહાસ હોય જ છે. આપણા સમાજની આપણી જ્ઞાતિનો પણ ઇતિહાસ છે.

લવ અને કુશ સિંધ અને પંજાબના પ્રદેશો જીતી પોત પોતાની અલગ નગરી વસાવી. લવના પ્રદેશના લેઉવા કે લેવા પાટીદાર અને કુશના પ્રદેશના કાછિયા પાટીદાર તરીકે ઓરખાયા.

ઈ.સ. ૧૭૪૫ માં બધા પ્રવાહો પોતાને મનગમતી દિશામાં આગળ વધતા વધતા ચાલુક્ય રાજા જ્યાં શબરીના પુત્ર વનરાજે સેનાપતિ ચાંપાના નામે પાવાગઢની તળેટીમાં ચાંપાનેર વસાવેલું ત્યાં આપણી જ્ઞાતિગંગાનો પ્રવાહ પહોંચ્યો. બાદશાહ અહમદ અમદાવાદ વસાવ્યું એટલે તેઓ પોતાના ડેરા-તંબુ ઊંચકી અમદાવાદ આવ્યા ત્યાંથી દક્ષિણ ગુજરાત તરફ આગર વધી યોગ્ય લાગે ત્યાં ઠરીઠામ થયા.

સુરતમાં આગમન

આપણી જ્ઞાતિનાં માણસોએ કુળગુરૂની સંમતિમાત્રથી સુરત રાણીતળાવ મેઈનરોડ પર અઠાવીસી કાછિયા પાટીદાર જ્ઞાતિના ગુરૂગંગાભારથી સમાધી રાજરાજેશ્વર અને કાશ્યપેશ્વર મંદિરવાળી જગ્યા નખુદ મઠ અને ધર્મશાળા ખરીદ્યા.

ઈ.સ. ૧૮૭૨માં સગરામપુરામાં ધર્મશાળા બાંધવા માટે ૩૬ X ૯ ગજની જગ્યા લીધી. ધર્મશાળા કોઈક કારણે બનાવી શક્યા નહીં પરંતુ ત્યાં નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું.

ઈ.સ. ૧૮૨૭માં મી. બોરેડેઈલે સુરતમાં વસતી દરેક હિન્દુ કોમની ગણત્રી કરેલી એ મુજબ ૨૦૭ કોમ થઇ હતી. તેના પરથી ૧૮૮૭માં કવિ શ્રી ડાહ્યાભાઈના પુત્ર શ્રી દલપતરામે 'જ્ઞાતિનિબંધ' નામનું પુસ્તક લખ્યું છે તેના ૧૯માં પ્રકરણમાં ૭૩માં પાને આપણી જ્ઞાતિ વિશે ક્રમાંક ૧૨ કાછિયા કણબી રેયતીઆ અમદાવાદી ક્રમાંક ૧૩ કાછિયા સુરતી ક્ષત્રિયવંશી વિશે વિગત છે. બીજા દસ્તાવેજો જોતા કણબી કાછિયા, કલમી કાછિયા, કાછિયા પાટીદાર જ્ઞાતિનાં સંબોધનો મળે છે.

અટક પટેલ

આપણી અટક પટેલ છે. એ વિશે પણ થોડું જાણી લઈએ. ઈ.સ. ૧૪૧૨ થી ઈ.સ. ૧૫૭૩ ના મુસ્લિમ સલ્તનતોના સમયગારા દરમ્યાન ગામડાઓમાં સરકારના મુખ્ય માણસ તરીકે મુખી નિમવામાં આવતા, મુખી એટલે મુખત્યાર, મુખી અરબી ભાષાના 'મુકતા' પરથી પાડવામાં આવ્યું છે. મુખીને મનવંતા શબ્દોમાં પટલિક, અક્ષપટલિક અને અક્ષપટલના અપભ્રંશ તરીકે પટેલ કહેવા લાગ્યા. ક્રમે ક્રમે મુખી કે પટેલના સગાસંબંધીઓને પણ પટેલ તરીકે સંબોધવા લાગ્યા. મહારાષ્ટ્રમાં પટલિક ઉપરથી પાટીલ શબ્દ આવ્યો. પટેલ શબ્દ કાછિયા પાટીદાર કે પાટીદારની અટક છે, ધંધાર્થી તરીકે છે.

ઈ.સ. ૧૪૦૦ સુધી કુર્મી, કુનબી, કુણબી, ખેડૂત તથા તે ત્યારબાદ કણબી પટેલ, કાછિયા પાટીદાર પટેલ, પાટીદાર પટેલ થયા. હવે પટેલ અટક ગુજરાતમાં કોણ કોણ ધારણ કરી શકે? જ્ઞાતિની પટલાઇ કરનારો, ગામની પંચાયતમાં બેસનારો, ગામના તોફાનો-ડંગા-ફિશાદમાં રસપૂર્વ ભાગ લઇ પતાવટ કરી આપનારો.

બ્રિટીશરોનું ભારતમાં રાજ્ય થયા પછી તેમણે પોતાના ઓફિસરોની ગામડાઓમાં સુવિધા જળવાઈ અને આરામથી રાતવાસો કરી પોતાના કેશો સાંભળી લોકોને ન્યાય આપી શકે તેને માટે કંઇક જમીન જાગીર આપી એક સરકારી જેવા પોલિસ પટેલની નિમણુંક થતી ને વ્યક્તિનું વ્યક્તિત્વ,વર્ચસ્વ જ જોવાતું. જ્ઞાતિધર્મ કે ધંધા રોજગાર ગૌણ ગણાતા, તે પટેલ પછી તો પટેલ અટક તમામ જ્ઞાતિનાં લોકો લખાવે છે. ભારતમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ જેવી વિરલ વ્યક્તિ પાકતા ગુજરાતની આ પટેલ અટક પરદેશોમાં પણ નામાંકિત બની છે, એટલું જ નહીં પણ ગમે તે જ્ઞાતિના લોકો પણ 'પટેલ' કહેતા ખુશ ખુશાલ થઇ જાય છે.

જ્ઞાતિ સંબોધન-વ્યવસાય

ઈ.સ. ૧૯૧૯સુધીમાં પ્રથમ પરિષદ ભરાઈ ત્યારબાદ ઈ.સ. ૧૯૨૭ સુધીમાં બીજી પાંચ પરિષદો ભરાઈ આ ઠરાવો જોતા 'કાછિયા પાટીદાર' અને 'પાટીદાર' ના જ્ઞાતિ સંબોધનો યોગ્ય જણાતા એ સંબોધનો જ ચાલુ રહ્યા અને રેહશે.

આપણી જ્ઞાતિનો મૂળ વ્યવસાય ખેતીનો છે જેમાં ખાસ કરીને લીલાશાકભાજી-ફળફળાદી રોકડીઆ અન્ય ખેતીના પાકો કરે છે. શાકભાજી વેચાણ વ્યવસાયમાં અન્ય લોકોની સરખામણીમાં નહીંવત્ લોકો છે. મૂળ વ્યવસાય આજે પણ ખેતીનો છે. ઓછી જમીનમાં ઓછા ખર્ચે વિશેષ ઉત્પાદન લેવું એ આપણા સમાજની ખાસિયત છે. ખેતપ્રધાન દેશમાં એનું આપણે ગૌરવ લઇ શકીએ છીએ.

ખેતીના વ્યવસાય સાથે હીરાઉધોગમાં પણ કેટલાંક જોડાયા, હીરાના વેપારી પણ બન્યા. મોટાભાગની યુવાપેઢી આ વ્યવસાયમાં પડવાથી ભણતરની એક સમસ્યા ઉભી થઇ ચિંતાનો વિષય બન્યો. છતાં જ્ઞાતિનાં ઘણાં ખરાં સારી એવી ડીગ્રી મેળવી, આર્ટ્સ, સાયન્સ, કોમર્સ ગ્રેજ્યુએટ થયા. કેટલાંક શિક્ષક, વકીલ, એન્જીનિયર, ડોક્ટર પણ બન્યા. બહેનોમાં પણ ભણતરનું પ્રમાણ વધ્યું અને દિન પ્રતિદિન વધતું જ રહ્યું છે. બહેનોમાં પણ ગ્રેજ્યુએટ થઈ આગવું સ્થાન ભોગવે છે જેનું આપણે ગૌરવ લઇ શકીએ છીએ.

પરદેશોમાં વસતી આપણી જ્ઞાતિનાં ભાઈ-બહેનોની વસતી પણ ઘણી મોટી છે એઓ પણ ત્યાં સમાજ સંગઠન અને એના ઉત્કર્ષ માટે બનતા પ્રયત્નો અવશ્ય કરે છે. જ્ઞાતિ પ્રગતિના પંથે આગર વધી રહી છે. જ્ઞાતિના વાડા તોડતી, કુરિવાજોને નાબુદ કરતી પ્રચંડ વેગથી આગર વધી રહી છે.

દહેજ પ્રથા

આપણા સમાજની કોઈ ખાસ ભાષા કે બોલી નથી. આપણો ધર્મ હિન્દુ ધર્મ છે. આપણું ગૌત્ર કશ્યપ ગૌત્ર છે. આપણી કુળદેવી અંબાજી છે. આપણા વર્ષો જુના રીતીરીવાજો જેવા કે લગ્ન અને મરણ એ વૈદિક વિધિ પ્રમાણે કરવામાં આવે છે. લગ્ન કે મરણ પ્રસંગે ચોકકસ ખર્ચ કરવો જ પડે એવી કોઈ મર્યાદા નથી. બંને વિધિ પોતાની આર્થિક સ્થિતિ ધ્યાનમાં લઈને પતાવવાની હોય છે. જેના પર સમાજનું કોઈ પણ પ્રકારનું દાબ દબાણ નથી. દહેજ કોઈ આપતું નથી કોઈ સ્વીકારતા પણ નથી. એટલે એમ સમજી શકાય છે કે દહેજ પ્રથા આપણા સમાજમાં પહેલેથી જ નથી.

સમૂહ લગ્ન

સમૂહ લગ્ન લગભગ હવે બધા જ સમાજમાં થાય છે. આપણા સમાજમાં સમૂહ લગ્ન માટે પ્રયત્નો થયા છે પરંતુ અંશત: સફળતા મળી છે. સ્વેચ્છાથી પોતાને યોગ્ય લાગે એ રીતે સાદાઈથી કે ધૂમધામથી લગ્નવિધિ કરી શકે છે. મોટે ભાગે લગ્ન રાત્રે જ હોઈ છે. વરઘોડો કાઢવાની પ્રથા ચાલુ જ છે. કોઈ પણ સામાજિક સુધારો નિયમો બનાવી લાવી શક્યા નથી. દરેકે સ્વેસ્ચ્છિક સુધારા સ્વી કાર્યા છે.

પાટીદાર

પાટીદાર એટલે શું? એ અંગે પણ સમજવું જરૂરી છે. પાટી એટલે જમીન અને દાર એટલે હોવું. જમીનદાર હોવું તે 'પાટીદાર' એ સંસ્કૃતમાંથી પ્રકૃત અને અપભ્રંશ શબ્દ છે. જયારે 'દાર' ઈરાની શબ્દ છે.

ઈ.સ. ૧૯૦૩માં પીપળાવમાં સમસ્ત પાટીદાર કોમનો મેળાવડો યોજાયો હતો તે મેળાવડામાં ઔરંગઝેબના શાહજાદા બહાદુરશાહને આમંત્રણ આપી પધારવા વિનંતી કરવામાં આવી હતી. આ મેળાવડામાં બાદશાહના દફતરમાં પાટીદાર શબ્દ દાખલ કરવાવ્યો ત્યારથી પાટીદાર લખવાનું શરૂ થયું હતુ.

તો હવે પાટીદાર પોતની જાતને લખાવનારી કોમો કઈ કઈ છે તે સમજી લઈએ. કાછિયા પાટીદાર, લેઉવા પાટીદાર, કાળાચુડા તથા લાલચુડા કડવા પાટીદાર, આંજણા (ચૌધરી) પાટીદાર, મત્યા પાટીદાર, ભકત પાટીદાર, અમીન પાટીદાર, દેશાઈ પાટીદાર,ચરોતરી પાટીદાર.

ગૌરવની વાત

'આપણો સમાજ મદિરાપાન નહી કરનારો શુદ્ધ શાકાહારી સમાજ છે જેનું આપણે ગૌરવ અવશ્ય લઇ શકીએ છીએ. આ જળવાઈ રહે એ ખુબ જરૂરી છે તો જ આપણે સ્વમાનભેર જીવી શકીશું.' જ્ઞાતિબહાર મુકવાની પ્રથા અને આપણાં નક્કી કરેલા ગામોમાં જ છોકરા-છોકરીઓના લગ્ન કરવાની પ્રથા પણ રદ કરવામાં આવી છે.

શાહસિક કોમ

'જંગલમાં મંગલ' કરનારી શાહસિક કોમ આપણી છે. ગુજરાતમાં ખૂણે ખૂણે અને ગામડે ગામડે ખેતી અને પશુપાલનનો ધંધો વિકસાવી તેમણે પોતાના નજર પરદેશ તરફ દોડાવી પૂર્વ-દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલીયા,ન્યુઝીલેન્ડ,રશિયા, જર્મની, જાપાન, યુ.કે.,(ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ), યુ.એસ.એ., કેનેડા અને ધ્રુવ પ્રદેશમાં પણ જઈ વસી છે.